74માં સ્વાતંત્રદિનની ઉજવણી
74માં સ્વાતંત્રદિનની ઉજવણી 74માં સ્વાતંત્રદિન નિમિત્તે તા-15-08-2020, શનિવાર ના રોજ શાળાના પટાંગણમાં સવારે 8:30 કલાકે શાળાના ભુતપૂર્વ વિદ્યાર્થિની તથા હાલ અમદાવાદ મુકામે C.R.P.F. કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે એવા શ્રીમતી દિપ્તીબેન મહેન્દ્રભાઇ ટંડેલના વરદહસ્તે ધ્વજવંદનવિધિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કોરોના મહામારીના કારણે સરકારશ્રીએ બહાર પાડેલ “શાળમાં સ્વાતંત્રદિનની ઉજવણી” સદર્ભેની ગાઈડલાઇન મુજબ આ કાર્યકમમાં વિદ્યાર્થીઓ હાજર રહી શકે એમ ન હોય માત્ર શાળા સંચાલક મંડળના ના સભ્યો તથા શાળાનો સ્ટાફ જ હાજર રહ્યા હતા.શાળાના મંત્રી શ્રી ડો.માણેકલાલ એન.ટંડેલશ્રીએ તથા ધ્વજપ્રમુખ શ્રીમતી દિપ્તીબેને પ્રાસંગિક મનનીય પ્રવચનો કર્યા હતા. ધ્વજવંદનવિધિ કાર્યક્રમ ના સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી રમેશભાઈ એન.ટંડેલે કર્યું હતું.