સ્વ્ચ્છતા એ જ સેવા
સ્વ્ચ્છતા એ જ સેવા 2જી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીને જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવનાર છે,સ્વ્ચ્છતા એ રાષ્ટ્રીય સ્વભાવ બને એ માટે વિદ્યાર્થીઓ દ્વારા ગ્રામજનોમાં જાગૃતિ આવે તે માટે "ગાંધી જયંતિ" ના એક દિવસ અગાઉ તા-01-10-2023,રવિવારના રોજ સવારે એસ.બી.ટંડેલ સાર્વ.હાઈસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉ.મા.શાળા ઓંજલ માછીવાડ ના ધો-9 અને ધ-11 ના વિદ્યાર્થીઓએ શાળા કેમ્પસની સફાઈ, વરસાદથી પડેલા ખાડા પૂર્વા તથા દરિયાકાંઠાની સફાઈ કરી શ્રમદાન કર્યું હતું.શાળાના શિક્ષક મિત્રો તથા સંચાલક મંડળના પ્રમુખ અને મંત્રી હાજર રહી વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને શ્રમનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને પ્રોતસહિત કર્યા હતા