76 માં પ્રજાસત્તાકદિનની ઉજવણી
76 માં સ્વાતંત્રદિનની ઉજવણી આઝાદી ના 75 વર્ષ પૂર્ણ થયા તે સંદર્ભે અમૃત મહોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. આ ઉજવણીના ભાગ રૂપે “હર ઘર તિરંગા” સહિત ઘણા કાર્યક્રમો કેન્દ્ર સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ દેશમાં થઈ રહ્યા છે , ભારતવાસીઓ પણ ઉત્સાહભેર આવા કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. આજે એસ.બી.ટંડેલ સાર્વજનિક હાઈસ્કૂલ અને સ્વ.બી.એ.ટંડેલ ઉચ્ચતર માધ્યમિક શાળા , ઓંજલ માછીવાડ , તા-જલાલપોર માં 76 માં સ્વાતંત્રદિનની ઉજવણી કરવામાં આવી હતી.આજે શ્રેયસ કેળવણી મંડળના પ્રમુખશ્રી ગણેશભાઈ ટંડેલ , મંત્રીશ્રી ડો.માણેકલાલ ટંડેલ , સહમંત્રીશ્રી કેશવભાઈ ટંડેલ , મંડળના સભ્યો , તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી ક્રિષ્નાબેન ટંડેલ ,CRC કો.ઓ. શ્રીમતી શીતલબેન પટેલ , શિક્ષકગણ , વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં સવારે 8:30 કલાકે દાતાશ્રી જતિનકુમાર દિનેશભાઇ ટંડેલ ( મુંબઈ) ના વરદહસ્તે ધ્વજવંદનવિધિ કરવામાં આવી હતી.આ શાળાના મંત્રી ડો , માણેકલાલ ટંડેલ , આચાર્યશ્રી હરીશભાઇ લાડ , શ્રી જયંતિભાઈ ટંડેલ તથા CRC કો.ઓ. શ્રીમતી શીતલબેન પટેલે પ્રસંગોચિત મનનીય પ્રવચનો આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.ધ્વજવંદનવિધ