71 માં પ્રજાસત્તાકદિનની ઉજવણી

71 માં પ્રજાસત્તાકદિનની ઉજવણી

        71 માં પ્રજાસત્તાકદિન નિમિત્તે તા-26-01-2020,રવિવાર ના રોજ સવારે 8:30 કલાકે શ્રેયસ કેળવણી મંડળના ઉપપ્રમુખશ્રી રમેશભાઈ ભેકાભાઈ ટંડેલ ના વરદહસ્તે ધ્વજવંદનવિધિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.ગામના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ,ગ્રામજનો, શ્રેયસ કેળવણી મંડળના સભ્યશ્રીઓ,શિક્ષક ગણ તથા શાળાના વિદ્યાર્થિઓએ ઉત્સાહભેર ઉજવણી.શાળાના આચાર્યશ્રી હરીશભાઇ લાડ,પ્રમુખશ્રી ગણેશભાઈ ટંડેલ તથા મંત્રીશ્રી ડો.માણેકલાલ ટંડેલે પ્રાસંગિક પ્રવચનો કરી શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ધ્વજવંદનવિધિ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકશ્રી રમેશભાઈ ટંડેલે કર્યું હતું.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શ્રેયસ કેળવણી મંડળના વ્યવસ્થાપક કમિટીની મિટિંગ શાળાના મકાનમાં મળી હતી. 






















Comments

Popular posts from this blog

National Sport Day

વિશ્વ યોગાદિન ઉજવણી સંદર્ભે સ્પર્ધાઓનું આયોજન

77 મા સ્વાતંત્રદિનની ઉજવણી